अँधेरे चारों तरफ़ सायं-सायं करने लगे
चिराग़ हाथ उठाकर दुआएँ करने लगे
:Rahat Indori, The Great Rahat Indori
Ayehaye
सायं-सायं is probably a noise which we can hear when candle burns.
દીવાને જોઈને આ શેર બોલી તો જુઓ Boss. શ્રદ્ધા અને Positivityની આતંશબાજી ભીતર થશે.
ચાલ ખલીલ, આ અંધારાને ખોતરીએ
એમાં કંઈ અજવાળા જેવું લાગે છે !
:ખલીલ ધનતેજવી
અંધારાને ખોતરવાથી અજવાળું મળી શકે છે ! What a thought. 🙂
અજવાળું શબ્દ જ કેટલો મોહક છે? અજવાળાનો અનુભવ નથી થતો, અજવાળું નાનું કે મોટું નથી હોતું. અજવાળું પ્રગટતું હોય છે… પ્રસરતું હોય છે… અજવાળું એટલે જ નવા વિચારો-નવા જોમનું આવાહન..
કોઈ પણ ક્યારેય ઉદાસ ના થાય
થાય! તો મારી આસપાસ ના થાય 😀
:ભાવેશ ભટ્ટ
After laughing think about it deeply. it has a nice meaning, life would be heaven if people around use stays happy always.
આપણે બસ એ સૌને પ્રેમ કરીએ, આપણાં પોતાના લોકોના ટેન્શન, ચિંતા, બધું જાણવા તત્પર રહીએ.. સૌના સુખ ની ચિંતા કરીએ..
ઘણીવાર કોઈને ફક્ત સાંભળવાથી જ એમને સાંત્વના મળતી હોય છે. દિલાસો કે Solutionની એને જરૂર પણ નથી. . . .
બીજાને ખુશ રાખવાની તત્પરતા એ જ આપણા ચહેરાનો આનંદ બની જાય
આપણે મધર ટેરેસા ની જેવું જીવન નથી જીવવું, આજની લાઈફમાં આપણા માટે એ શક્ય પણ નથી. અને કોઈ સમાજસેવા કરતી સંસ્થાને દાન આપવા પણ નથી જવું.
આપણી સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને સાચવીએ. તેમને ખુશ રાખીએ. બસ આ કરવા માં વ્યસ્ત રહીએ તો ખબર પણ નહિ પડે કે દિવસો કેમ જાય છે, કામનો થાક પણ ઓછો લાગશે..
Final Concluding statement : કોઈ વ્યક્તિના જીવનમાં આપણા થકી થતું અજવાળું એક રીતે આપણને જ પ્રકાશિત કરે છે. ❤ એ રસ્તે ચાલીએ તો હરપળ દિવાળી
#Naitik
HAppy Diwali ❤